દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ઇમરજન્સી માર્શલ લૉ’ લાદવાની જાહેરાત કરી

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ઇમરજન્સી માર્શલ લૉ’ લાદવાની જાહેરાત કરી

દક્ષિણ કોરિયાના વિપક્ષી દળોએ માર્શલ લૉ લાગુ કરવાના મુદ્દે રાષ્ટ્રપતિ યુન સુક-યોલ વિરુદ્ધ સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પહેલા દક્ષિણ કોરિયાની મુખ્ય વિપક્ષી પાર્ટીએ રાષ્ટ્રપતિ યૂન સુક-યોલને પદ પરથી રાજીનામું આપવા કહ્યું હતું અથવા તેમને મહાભિયોગનો સામનો કરવો પડશે.રાત્રે યુને અચાનક દેશમાં માર્શલ લૉ લાગુ કરી દીધો. રાષ્ટ્રપતિ દ્વારા લાદવામાં આવેલ માર્શલ લો માત્ર છ કલાક માટે જ અમલમાં રહ્યો, કારણ કે નેશનલ એસેમ્બલીએ રાષ્ટ્રપતિના નિર્ણયને નકારવા માટે મતદાન કર્યું હતું.

ડેમોક્રેટિક પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ યુન સુક-યોલની માર્શલ લોની ઘોષણા એ બંધારણનું ઉલ્લંઘન છે.” નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “તેમની માર્શલ લોની ઘોષણા મૂળભૂત રીતે અમાન્ય છે અને બંધારણનું ગંભીર ઉલ્લંઘન છે.” આ બળવોનું ગંભીર કૃત્ય હતું અને તેના મહાભિયોગ માટે સંપૂર્ણ આધાર પૂરો પાડે છે.

શાસક અને વિરોધ પક્ષોએ વિરોધ કર્યો

જ્યારથી દેશમાં માર્શલ લૉ લાગુ કરવામાં આવ્યો હતો ત્યારથી સત્તાધારી અને વિપક્ષો તેની વિરુદ્ધમાં આવી ગયા હતા. સત્તાધારી પક્ષના ઘણા નેતાઓએ પણ તેને અલોકતાંત્રિક અને ગેરબંધારણીય ગણાવ્યું હતું. તે જ સમયે, રાષ્ટ્રપતિની પોતાની પાર્ટીના નેતા હાન ડોંગ-હૂને પણ આ નિર્ણયની ખુલ્લેઆમ ટીકા કરી હતી અને સંસદમાં મતદાનમાં પણ ભાગ લીધો હતો. માર્શલ લોના નિર્ણય બાદ દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા.

2022માં યુન થોડા માર્જિનથી જીત્યા હતા

વિરોધ કરનારાઓમાં યુનની પોતાની રૂઢિચુસ્ત પાર્ટીના નેતા હાન ડોંગ-હૂન પણ સામેલ હતા. હુને રાષ્ટ્રપતિના નિર્ણયને ‘ખોટો’ ગણાવ્યો હતો અને ‘તેને રોકવા માટે લોકો સાથે મળીને કામ કરવાનું વચન આપ્યું હતું. વિપક્ષી નેતા લી જે-મ્યુંગે યુનની જાહેરાતને ‘ગેરકાયદેસર અને ગેરબંધારણીય’ ગણાવી હતી. તમને જણાવી દઈએ કે લી જે-મ્યુંગ 2022 માં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યુન સામે નાના અંતરથી હારી ગયા હતા. તાજેતરમાં, દેશમાં યુનની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. 2022 માં સત્તા સંભાળ્યા પછી, તેમણે વિપક્ષ પર પોતાની લીડ જાળવી રાખવા માટે સખત મહેનત કરવી પડી છે.

Related Articles