સોનિયા ગાંધીને રાઉઝ એવન્યુ કોર્ટથી મોટી રાહત, મતદાર ઓળખપત્ર કેસમાં દાખલ અરજી ફગાવી

સોનિયા ગાંધીને રાઉઝ એવન્યુ કોર્ટથી મોટી રાહત, મતદાર ઓળખપત્ર કેસમાં દાખલ અરજી ફગાવી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. નાગરિકતા મેળવ્યા વિના મતદાર યાદીમાં નામ દાખલ કરવાના આરોપમાં સોનિયા ગાંધી વિરુદ્ધ તપાસ અને કેસ દાખલ કરવાની માંગ કરતી અરજીને રાઉઝ એવન્યુ કોર્ટે ફગાવી દીધી છે.

સોનિયા ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સોનિયા ગાંધીએ 30 એપ્રિલ 1983 ના રોજ નાગરિકતા મેળવી હતી. જ્યારે તેમનું નામ 1980 ની મતદાર યાદીમાં સામેલ હતું. અરજીમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે 1980 માં નવી દિલ્હીની મતદાર યાદીમાં તેમનું નામ કેવી રીતે સામેલ થયું?

અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ૧૯૮૨માં સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાંથી કેમ કાઢી નાખવામાં આવ્યું? અરજીમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે જ્યારે તેમણે ૧૯૮૩માં નાગરિકતા મેળવી ત્યારે ૧૯૮૦માં કયા દસ્તાવેજોના આધારે તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું? શું નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

અરજીમાં દિલ્હી પોલીસને કેસ નોંધવા અને મામલાની તપાસ કરવા અને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ રાઉઝ એવન્યુ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *