ઊંઝાથી કામલી રોડ પર આવેલ શ્રી ઝાપડા મહારાજના મંદિરે તસ્કરો ત્રાટક્યા હતા જે લોખંડના નકૂચો તોડી મંદિરની અંદર પ્રવેશ કરી ચાંદીના મુગટ છતર સહિત દાગીના મળી કુલ કી રૂ 1,20, 000ની ચોરી કરી લઈ જતા ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા કામલી રોડ પર શ્રી ખોડિયાર માતાજીના મંદિરની સામે શ્રી ઝોપડા મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિરના લોખંડનો દરવાજાનો નકૂચો તોડી મંદિરની અંદર પ્રવેશ કર્યો હતો અને ચાંદીનો મુગટ નંગ 1, લોટા 2, ચાંદીના દીવા નંગ 2, છત્રર નાના મોટા નંગ 5, ચાંદીની ઘંટડી 1તેમજ કંકાવટી 1 મળી કુલ રૂ 1,20,000 ની ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે દિનેશભાઈ અમરતલાલ પ્રજાપતિ રહે ઊંઝાના નિવેદનને આધારે કોઈ અજાણ્યો ઇસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
- September 3, 2025
0
489
Less than a minute
You can share this post!
editor

