કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો; પાટણ જિલ્લાના ચાણસ્મા શહેરમાં રવિવારે જજૅરિત બનેલ મકાનનો સ્લેબ ધરાશાયી બનતાં અફડાતફડી મચી જવા પામી હતી જોકે કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ચાણસ્મા શહેરમા આવેલ જેકણદાસ ના માઢમાં એક જજૅરિત બનેલ મકાનનો સ્લેબ રવિવારે અચાનક ધરાશાયી બન્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. વરસાદની ઋતુમાં જો વધુ વરસાદના કારણે આ મકાન ધરાસાઈ થાય તો આજુબાજુના મકાનો ને પણ નુકસાન થાય તેમ હોય આ બાબતે આજુબાજુના રહેણાક મકાન માલિકોએ નગર પાલિકા ને જાણ કરતા નગર પાલિકા દ્વારા મકાન માલિક ને મકાન ઉતારી લેવાની નોટિસ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.
- June 23, 2025
0
388
Less than a minute
You can share this post!
editor

