ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. આ પ્રવાસ 20 જૂનથી શરૂ થશે, જેમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. બીસીસીઆઈએ આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ટીમ ઈન્ડિયાનો આ પહેલો મોટો પ્રવાસ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમની સાથે નવા ટેસ્ટ કેપ્ટનની પણ જાહેરાત કરવામાં આવી છે.
શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગિલ ટીમ ઈન્ડિયાનો 37મો ટેસ્ટ કેપ્ટન હશે. ૨૫ વર્ષીય ગિલ ટીમ ઈન્ડિયાના પાંચમા સૌથી યુવા ટેસ્ટ કેપ્ટન છે. ગિલ પાસે હવે ફક્ત બેટથી જ નહીં પરંતુ ઇંગ્લેન્ડની ધરતી પર કેપ્ટનશીપ સાથે પણ સારું પ્રદર્શન કરવાનો મુશ્કેલ પડકાર રહેશે. અર્શદીપ સિંહને પહેલી વાર ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુર પણ ટીમમાં પરત ફર્યા છે.
Lots of familiar names in India’s Test squad for England 💙 pic.twitter.com/mOy2skkc6n
— Gujarat Titans (@gujarat_titans) May 24, 2025
ઓપનર યશસ્વી જયસ્વાલ અને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે સાઈ સુદર્શન અને કરુણ નાયરને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સુદર્શનને IPL 2025 માં ગુજરાત ટાઇટન્સ માટે તેની શાનદાર બેટિંગ માટે પુરસ્કાર મળ્યો છે. કરુણ નાયર 8 વર્ષ પછી ટીમ ઇન્ડિયામાં પાછો ફર્યો છે. તેમણે રણજી ટ્રોફી 2024-25માં વિદર્ભ તરફથી રમતા 863 રન બનાવ્યા હતા. આ જ કારણ છે કે હવે પસંદગીકારોએ તેને લાંબા સમય પછી તક આપી છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ભારતીય ટેસ્ટ ટીમ; શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર, વાઇસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈસ્વરન, કરુણ નાયર, નીતિશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કે.એલ. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસીદ કૃષ્ણ, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.

