શ્રાવણ માસ દરમિયાન ડીસા શહેરમાં નોનવેઝની લારીઓ બંધ કરાવવા શિવસેવા સમિતિ ડીસા દ્વારા આવેદનપત્ર અપાયું

શ્રાવણ માસ દરમિયાન ડીસા શહેરમાં નોનવેઝની લારીઓ બંધ કરાવવા શિવસેવા સમિતિ ડીસા દ્વારા આવેદનપત્ર અપાયું

પવિત્ર શ્રાવણ માસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ડીસા શહેરમાં ઠેર ઠેર જાહેર માર્ગો ઉપર ખુલ્લેઆમ નોનવેઝની લારીઓ ધમધમી રહી છે. જેના કારણે ડીસાની ધર્મપ્રેમી જનતાની લાગણીઓ દુભાઈ રહી છે. આ લાગણીઓને માન્ય રાખી ડીસા શહેર શિવ સેવા સમિતિ દ્વારા આજરોજ ડીસાના નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ શહેર ભાજપ પ્રમુખ તેમજ શહેર મહામંત્રી શ્રી ને જાહેરમાં ખુલ્લેઆમ નોનવેઝની લારીઓ બંધ કરાવવા માટે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ડીસા શહેર સેવા સમિતિના પ્રમુખ હિતેશ સિંહ રાજપુત, મહામંત્રી જીતુભાઈ પરમાર, અતુલભાઈ દૈયા ,ઉપપ્રમુખ અશ્વિનભાઈ મોદી બાબુભાઈ માળી અંબાલાલ પુરોહિત લખુભાઇ ફુલવાણી સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *