સાબરકાંઠા; તલોદમાં બંધ મકાનમાં તસ્કરોએ 11 લાખની ચોરી કરી ફરાર

સાબરકાંઠા; તલોદમાં બંધ મકાનમાં તસ્કરોએ 11 લાખની ચોરી કરી ફરાર

સાબરકાંઠા જિલ્લાના તલોદમાં સોમવારની રાત્રે તસ્કરોએ બાલાજી ગ્રીનપાર્ક સહિત ચાર સોસાયટીઓમાં ધાડ પાડી હતી. તસ્કરોએ બે બંધ મકાનના તાળા તોડી કુલ રૂ.11.49 લાખની મત્તાની ચોરી કરી હતી. બાલાજી ગ્રીનપાર્ક સોસાયટીના મકાન નંબર રહેતા દીપકકુમાર રોશનલાલ ખત્રીના ઘરમાંથી તસ્કરોએ તિજોરી તોડી રૂ.5.24 લાખના સોના-ચાંદીના દાગીના અને રૂ.25 હજાર રોકડા મળી કુલ રૂ.5.49 લાખની મત્તા ચોરી કરી હતી. તેમની બાજુમાં રહેતા રાકેશકુમાર ગણપતલાલ રાવલના મકાનમાં પણ તસ્કરોએ તિજોરી તોડી રૂ.5.87 લાખના સોના-ચાંદીના દાગીના અને રૂ.13 હજાર રોકડા મળી કુલ રૂ.6 લાખની મત્તાની ચોરી કરી હતી.બંને ઘરમાળિકોએ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *