પાટણ શહેરમાં ગાયત્રી મંદિર રોડ પરની ગંદકીથી રહિશો પરેશાન બન્યા છે ત્યારે આ બાબતે સ્થાનિક અયોધ્યાનગર સોસાયટીના રહિશોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં કોઈ કચરાનો પોઇન્ટ નથી છતાં લોકો રોજે રોજ આ વિસ્તારમાં કચરો ફેંકતા હોય છે અને આ કચરાને કારણે રખડતાં ઢોરોનો ત્રાસ પણ અસહ્ય બની રહ્યો છે. તો દિવસ દરમ્યાન રોડ ઉપર પડી રહેતા કચરાના ઢગલા ઓના કારણે અડધો રોડ પેક થઈ જાય છે. જેના કારણે સ્થાનિક લોકો ને તેમજ માગૅ પર થી પસાર થતાં લોકો ને પણ અવરજવર કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ત્યારે પાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા તાત્કાલિક ધોરણે આ ગંદકી દૂર કરી સમસ્યાનુ નિરાકરણ લાવવામાં આવે તેવી માગ કરી છે.
- July 24, 2025
0
212
Less than a minute
You can share this post!
editor

