૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ, પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સીઆરપીએફ જવાનો પર આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલાના માત્ર 12 દિવસ પછી, ભારતે પાકિસ્તાનથી બદલો લીધો અને 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ના પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે આવનારી પેઢીઓ તેમના બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને ક્યારેય ભૂલશે નહીં. વર્ષ 2019 માં આજના દિવસે, આતંકવાદીઓએ પુલવામામાં એક મોટો હુમલો કર્યો હતો, જેમાં દેશના 40 સૈનિકો શહીદ થયા હતા. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનો પર આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલાના માત્ર 12 દિવસ પછી, ભારતે પાકિસ્તાનથી બદલો લીધો અને 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી. આ સર્જિકલ સ્ટ્રાઈકમાં ભારતીય સેનાએ ઘણા જૈશ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
‘X’ પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું, “2019 માં પુલવામામાં આપણે ગુમાવેલા બહાદુર નાયકોને શ્રદ્ધાંજલિ. આવનારી પેઢીઓ તેમના બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને ક્યારેય ભૂલશે નહીં.”
પુલવામા હુમલાના 6 વર્ષ; ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનોને લઈ જતી બસ પર હુમલો કર્યો હતો, જેમાં ૪૦ સૈનિકો શહીદ થયા હતા. થોડા દિવસો પછી, ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ પાકિસ્તાનની અંદર આતંકવાદી તાલીમ છાવણીઓ પર બોમ્બમારો કર્યો.