દિયોદરમાં સગીરાનું લગ્નના ઇરાદે અપહરણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

દિયોદરમાં સગીરાનું લગ્નના ઇરાદે અપહરણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

દિયોદર શહેરમાંથી ધોરણ 9માં ભણતી 14 વર્ષીય સગીર યુવતીનું લગ્નના ઇરાદે અપહરણ કરવામાં આવ્યું છે. 5 માર્ચના રોજ સાંજે યુવતી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. યુવતી ઘરે ન પહોંચતા તેના વાલી-વારસદારોએ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું કે યુવતી તેની સાથે ભણતા પ્રકાશ ઠાકોર સાથે અવારનવાર વાત કરતી જોવા મળી હતી.

આ માહિતીના આધારે સગીર યુવતીના પરિવારજનો પ્રકાશ ઠાકોરના ઘરે પૂછપરછ કરવા ગયા હતા, પરંતુ પ્રકાશ ઘરે મળ્યો ન હતો. યુવકના પિતાએ ગુમ સગીરાના પિતાને જણાવ્યું કે પ્રકાશ તેમની દીકરી સાથે વાત કરતો હતો,જેની જાણ થતાં તેનો ફોન લઈ લેવામાં આવ્યો હતો અને તેઓ દીકરીને શોધીને પરત કરશે.

આ ઘટના બાદ સગીરાના પિતાએ દિયોદર પોલીસ મથકે લગ્નના ઇરાદે 14 વર્ષની દીકરીને ભગાડી જવાના ગુનામાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. દિયોદર પોલીસે કલમ 137/2 અને 87 હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા અને સગીરાની શોધખોળ માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *