વાવ તાલુકાના નાળોદર ગામે સોમવારે રાત્રે ભાગીયાએ ખેતર માલિકની હત્યા કરી નાસી ગયો હતો. જેને પોલીસે નાકાબંધી કરી ઝડપી લીધો હતો. દરમિયાન ખેતર માલિકને ભાગીયાની પત્ની સાથે આડા સબંધ હોવાના તેમજ ભાગીયા પાંચ બાળકોને પણ તેનાથી દૂર કરી દીધા હોવાના કારણોસર ખેતર માલિકની હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વાવ તાલુકાના બુકણા ગામના વતની અભાજી સુજાજી રાજપૂત નાળોદર ગામની સીમમાં જમીન ખરીદી હતી. જ્યાં સોમવારે રાત્રે તેમના ખેતરમાં રહેતો ભાગિયો રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના ભલેસરા ગામનો શામળભાઇ ફોટાભાઈ ભીલે તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ઉપરા ઉપરી ધા મારી ધાતકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો.
આ અંગે બનાસકાંઠા જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતુ કે, ઘટનાની જાણ થતાં એલસીબી, એસઓજી ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે અલગ અલગ જગ્યાએ નાકા બંધી કરી વહેલી સવારે હત્યારા ભાગીયાને ઝડપી લીધો હતો. ખેતર માલિકને ભાગીયાની પત્ની સાથે લાંબા સમયથી આડા સબંધ હતા. સાથે સાથે એના જે પાંચ બાળકો છે એને પણ આ ભાગીયા થી દુર કરી મળવા દેવામાં આવતાં ન હોવાથી ભાગીયાએ ખેતર માલિકની હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

