ભુજ -બાન્દ્રા ટ્રેનને ભાભર રેલ્વે સ્ટેશને કાયમી સ્ટોપેજ આપવા સંસદસભ્યની રજૂઆત 

ભુજ -બાન્દ્રા ટ્રેનને ભાભર રેલ્વે સ્ટેશને કાયમી સ્ટોપેજ આપવા સંસદસભ્યની રજૂઆત 

રેલ્વે સ્ટેશન ઉપર લાંબા રૂટના મુસાફરોની સંખ્યા વધી; ભાભર રેલ્વે સ્ટેશન ઉપર લાંબા રૂટના મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. તેથી ભુજ બાન્દ્રા ટ્રેનને ભાભર ખાતે કાયમી સ્ટોપેજ આપવા માટે લોકોની માંગ ઉઠી રહી છે. આ બાબતે બનાસકાંઠા સંસદસભ્ય ગેનીબેન ઠાકોર રેલ્વે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને મળીને ભાભર તેમજ બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાના વેપારી તેમજ ધંધા અર્થે મુંબઈ જતા મુસાફરોની માંગણી મુજબ આ ટ્રેનનું કાયમી ભાભર ખાતે સ્ટોપેજ મળે તે માટે રૂબરૂ મળી રજૂઆત કરી હતી. વધુમાં બનાસકાંઠા જિલ્લાના રેલ્વે બાબતે વિવિધ જે પ્રશ્નો છે તેના બાબતે પણ ચર્ચા કરી હતી. જે તમામ પ્રશ્નનું સોલ્યુશન લાવવાની રેલવે મંત્રીએ ખાત્રી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *