પાલનપુર નગરપાલિકાની વહીવટી અણ આવડતને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે શહેરના વોર્ડ નં.6 ના અંબિકા નગરમાં રોડ ખોદી દેતા વાહન ચાલકો સહિત સ્થાનિકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં.6 વિસ્તારના અંબિકાનગર જૈન દેરાસર પાસે જાહેર રોડ તોડી નાંખતા લોકોને જીવના જોખમે અવર જવર કરવા મજબૂર બનવું પડ્યું છે. રોડ તોડીને તેનો કાટમાળ હટાવવાની પણ તસ્દી લેવાઇ નથી. જેથી સ્થાનિકોને પડવા આખડવાનો ભય સતાવી રહ્યો છે. તો વળી વાહનચાલકોને પણ ટાયર પંક્ચર અને વાહન નુકસાનીના ભય વચ્ચે અકસ્માતની દહેશત વર્તાઈ રહી છે. ત્યારે આક્રોશિત સ્થાનિકોએ નગર પાલીકાના સભ્યો સહીત શાસકો ઉપર ફિટકારની લાગણી વરસાવી હતી.
- April 27, 2025
0
512
Less than a minute
You can share this post!
editor

