ભાભરમાં જૈન આગેવાનો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત..!

ભાભરમાં જૈન આગેવાનો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત..!

પર્યુષણ મહા પર્વ દરમિયાન વિસ્તારમાં કતલખાના ની દુકાનો બંધ રાખવાની માંગ; અહિંસા પરમો ધર્મને વરેલા જૈન સમાજના મહા પર્વ પર્યુષણની ઉજવણી કરવામાં આવનાર હોવાથી જૈન સમાજના આગેવાનો દ્વારા ભાભર વિસ્તારમાં ચાલતી કતલખાનાની દુકાનો બંધ કરાવવા પાલિકાના ચીફ ઓફિસર પાયલ દેસાઈને અધ્યાત્મ પરિવાર ટ્રસ્ટના નેજા હેઠળ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ભાભર વિસ્તારમાં ચાલતા કતલખાના સહિત માંસની દુકાનો તા. ૨૦/૮/૨૫ થી તા. ૨૭/૮/૨૫ સુધી બંધ રાખવા જૈન ધર્મના આગેવાનો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. પર્યુષણ મહા પર્વ જૈન ધર્મનો મોટો તહેવાર ગણાય છે. જેમાં પ્રર્વતન એટલે કે અહિંસાનું પાલન જૈન ધર્મમાં માનનાર લોકો માટે મહત્વનું છે. તેથી પર્યુષણ પર્વાધિરાજના ૯ દિવસ દરમિયાન પાલિકા વિસ્તારમાં હિંસા કાર્ય બંધ રહે તેવી રજૂઆત કરવામાં આવી છે.અને તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *