દરોડામાં મુખ્યમંત્રી ઘૂસી જાય તે યોગ્ય નથી,” I-PAC કેસમાં SCએ મમતા બેનર્જીને ફટકાર લગાવી

દરોડામાં મુખ્યમંત્રી ઘૂસી જાય તે યોગ્ય નથી,” I-PAC કેસમાં SCએ મમતા બેનર્જીને ફટકાર લગાવી

I -PAC ના કાર્યાલયો પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાજરી સારી સ્થિતિ નથી, સુપ્રીમ કોર્ટે આજે આ અંગે કડક ટિપ્પણીઓ કરી અને પ્રશ્ન કર્યો કે આ બિલકુલ યોગ્ય નથી, આ એક અસામાન્ય ઘટના છે. શું આવી સ્થિતિમાં કેન્દ્રીય એજન્સીને કોઈ ઉપાય વિના છોડી શકાય? દરોડા દરમિયાન મુખ્યમંત્રીની દખલગીરી અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે, એજન્સીએ ચૂંટણી સલાહકાર I-PAC ના વડા પ્રતીક જૈનના ઘર અને કાર્યાલયોમાંથી લેપટોપ, ફોન અને અનેક દસ્તાવેજો છીનવી લેવાની મમતા બેનર્જીની કાર્યવાહીને સત્તાનો ઘોર દુરુપયોગ ગણાવ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી 24 માર્ચે થશે.

આજે સુનાવણીના અંતે, મમતા બેનર્જીના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે ED સીબીઆઈને એફઆઈઆર નોંધવાનું કેવી રીતે કહી શકે?

ED એ આરોપ લગાવ્યો છે કે, 8 જાન્યુઆરીએ, જ્યારે ટીમ પ્રતીક જૈનના નિવાસસ્થાન અને I-PAC કાર્યાલય પર શોધ માટે પહોંચી, ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ત્યાં પહોંચ્યા હતા અને ફાઇલો, દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા હતા. એજન્સીએ દાવો કર્યો હતો કે રાજ્ય પોલીસના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ મુખ્યમંત્રીના કાફલા સાથે ઘટનાસ્થળે હાજર હતા અને તેમણે તપાસમાં અવરોધ ઉભો કર્યો હતો. ED એ કહ્યું કે, આ ઘટનાઓના વીડિયો પુરાવા છે, જે કોર્ટમાં રજૂ કરી શકાય છે. દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસે ED ની કાર્યવાહીને ‘રાજકીય બદલો’ થી પ્રેરિત ગણાવતા આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને વિરોધી પક્ષોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *