ઈકબાલગઢ 108 ની ટીમે સંપદર્શ થી ઘવાયેલ વ્યક્તિને નવજીવન આપ્યું

ઈકબાલગઢ 108 ની ટીમે સંપદર્શ થી ઘવાયેલ વ્યક્તિને નવજીવન આપ્યું

ગુજરાત સરકાર અને EMRI GHS દ્વારા ચાલતી નિ:શુલ્ક સેવા ૧૦૮ એ ગુજરાત ભરમાં મોખરે છે અને ઘણી જ અનમોલ જિંદગીઓ બચાવી છે તેવો જ એક કિસ્સો ઈકબાલગઢ 108 ની ટીમને સાપ કરડવાનો કોલ મળતા કોલ મળતાની સાથે જ 108 ટીમના ઈએમટી ધવલભાઈ અને પાઈલોટ ગિરિશભાઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘટના સ્થળે પહોંચી દર્દીને તપાસતા એવું જાણવા મળ્યું હતું કે દર્દી અમીરગઢ સરકારી હોસ્પિટલમાંથી પાલનપુર પ્રાઈવેટ ગાડીમાં જઈ રહ્યા હતા અને રસ્તામાં તેમની ગાડી બગડતા અને દર્દીની તબિયત વધારે બગડતા 108 માં કોલ કર્યો હતો તેવું જાણવા મળ્યું હતું અને તાત્કાલિક દર્દીને 108 એમ્બ્યુલન્સમાં લઈ તપાસતા દર્દીની તબિયત વધારે ખરાબ હતી ત્યાં એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર દર્દીની સંપૂર્ણ માહિતી હેડ ઓફિસ અમદાવાદ સ્થગિત રહેલ ડો. ને સંપૂર્ણ માહિતી આપી અને તેમની સલાહ મુજબ 108 એમ્બ્યુલન્સમાં રહેલા ASV ( એન્ટી સ્નેક વિનમ) ઈન્જેક્શન તથા જરૂરી સાધનો વડે સારવાર આપી વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *