હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનનું નિરીક્ષણનો પ્રારંભ

હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનનું નિરીક્ષણનો પ્રારંભ

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી ખેડબ્રહ્માને જોડતી રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનના નિરીક્ષણનો પ્રારંભ થયો છે. આ નિરીક્ષણ માટે PCEE સહિતના અધિકારીઓ ‘પરખ ઇન્સ્પેક્શન’ કારમાં રવાના થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે સવારે 10:30 કલાકે PCEE રજનીશકુમાર ગોયલ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે અસારવાથી ‘પરખ ઇન્સ્પેક્શન’ કારમાં હિંમતનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનના નિરીક્ષણ માટે રવાના થયા હતા. આ ઇન્સ્પેક્શન કાર ઇડર થઈને બપોર સુધીમાં ખેડબ્રહ્મા પહોંચશે. સાંજે ખેડબ્રહ્માથી હિંમતનગર સુધી ઇલેક્ટ્રિક લોકો ટ્રાયલ પણ હાથ ધરવામાં આવશે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *