ભારતે આર્મેનિયા સાથેના સંરક્ષણ સહયોગને વધુ મજબૂત કરવા તૈયારીઓ શરૂ કરી છે. આગામી જુલાઈમાં ભારત આકાશ-૧એસ સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમનો બીજો જથ્થો આર્મેનિયાને પહોંચાડશે. આ સિસ્ટમની પ્રથમ ડિલિવરી નવેમ્બર ૨૦૨૪માં કરવામાં આવી હતી, જેમાં ૪ લોન્ચર્સ અને રાજેન્દ્ર રડારનો સમાવેશ થયો હતો. આકાશ મિસાઇલ સિસ્ટમ, ભારતની સ્વદેશી સંરક્ષણ ટેકનોલોજીનું પ્રતિક છે, જે બેલ (ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ) દ્વારા નિર્મિત છે. આ ડીલની કુલ કિંમત ૬૦૦ મિલિયન ડોલરથી વધુ છે, અને આગામી ૪ થી ૫ વર્ષમાં કુલ ૧૫ આકાશ સિસ્ટમ્સ આર્મેનિયાને સોંપવામાં આવશે. આકાશ-૧એસ મિસાઇલ સિસ્ટમ ૨૫ કિલોમીટરની રેન્જમાં દુશ્મનના વિમાનો, હેલિકોપ્ટરો અને ડ્રોન્સને નિશાન બનાવી શકે છે. આ સિસ્ટમની ખાસિયત એ છે કે તે એકસાથે બહુવિધ લક્ષ્યોને ટ્રેક અને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે, જે આર્મેનિયાની હવાઈ સંરક્ષણ ક્ષમતાને નોંધપાત્ર રીતે વધારશે.
- May 19, 2025
0
354
Less than a minute
You can share this post!
editor

