ટેક્સ ડિફોલ્ટર પાસેથી ટેક્સ,પેનલ્ટી અને વ્યાજની રકમ સાથે વસુલાત કરવામાં આવશે
સ્વેચ્છાએ સ્ક્રેપ કરાવેલ વાહનના માલિકો માટે સરકારની લાભકારી યોજના અમલમાં મુકાઇ
બનાસકાંઠા જિલ્લામાં રોડ પર ચાલતાં વાહનો જે ટેક્સ અથવા ચલણ ડિફોલ્ટર વાહન ફરતા હશે તો તેમને આરટીઓ દ્વારા ડિટેઇન કરવામાં આવશે અને તેમની પાસેથી ટેક્સ, પેનલ્ટી અને વ્યાજની રકમની વસુલાત કરવામાં આવશે. જેની સરકાર દ્વારા એક વર્ષ માટે સ્કીમ જાહેર કરવામાં આવી છે. જે સ્કીમ વાહન માલિકો માટે લાભદાયી નીવડશે. જેમાં આઠ વર્ષ ઉપરના વાહનોમાં વાહન માલિક દ્વારા સરકાર માન્ય આરવીએસએફ સેન્ટરમાં વાહન સ્ક્રેપ કરવામાં આવશે. તેને સરકારની નવીન યોજના મુજબ ટેક્સ, પેનલ્ટી અને વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં આરટીઓમાં નોંધાયેલા કેટલાક વાહનો હજુ પણ ટેક્સ ડિફોલ્ટર બની ફરી રહ્યા છે. આવા પ્રકારના વાહનો રોડ પર ફરતા મળશે તો આરટીઓ અથવા પોલીસ દ્વારા તેને ડીટેઇન કરવામાં આવશે અને માલિક પાસેથી ટેક્સ,પેનલ્ટી અને વ્યાજની વસુલાત કરવામાં આવશે. અત્યારે સરકાર દ્વારા એક વર્ષ માટે વાહન ચાલકો માટે લાભદાઇ યોજના અમલમાં મુકવામાં આવી છે જેમાં આઠ વર્ષ ઉપરાંતના સ્ક્રેપ થયેલા વાહન ચાલકો પોતાના વાહનો સ્ક્રેપમાં નિકાલ કરશે તો સરકાર દ્વારા તેમને ટેક્સ,પેનલ્ટી અને વ્યાજમાં મુક્તિ આપવામાં આવશે. આ યોજનાનો લાભ રેવન્યુ વિભાગમાં કાર્યવાહી થયેલી હશે તેમને આપવામાં આવશે નહી.આ યોજના 30 એપ્રિલ 2026 સુધી અમલમાં રહેશે.તેમ બનાસકાંઠા આરટીઓ જે.કે.પટેલે જણાવ્યું હતું.

