ભરતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ખેડૂતોને વળતર આપવામાં વ્હલાદવાલાની નીતિ

ભરતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં ખેડૂતોને વળતર આપવામાં વ્હલાદવાલાની નીતિ

થરાદ અમદાવાદ ભારતમાલા હાઇવે પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીનોનું સંપાદન કર્યા બાદ તેનું યોગ્ય વળતર ન અપાતાં ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે તેમજ વળતર આપવામાં વ્હલાદવાલાની નીતિ અપનાવાઈ હોવાના આક્ષેપ સાથે કાંકરેજ, દીઓદર અને થરાદ તાલુકાના ખેડૂતોએ દીઓદરના સણદર ખાતે આવેલ અંબાજી મંદિર ખાતે એકઠા થઇ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. ખેડૂતો દ્વારા નવી જંત્રી મુજબ યોગ્ય વળતર આપવામાં આવે અને એક સામાન વળતર મળે તેવી માંગ કરવામાં આવી હતી.

ખેડૂતોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ૨૦૧૧ મુજબ જૂનો ભાવ લેવામાં આવ્યો છે તે ભાવ હાલના ભાવથી ઘણો નીચો છે. જયારે બિન ખેતીનો ભાવ ઘણો ઊંચો આપવામાં આવ્યો છે. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી. આજના બજાર ભાવ મુજબ ભાવ નક્કી કરી વળતર ચૂકવવું જોઈએ.ખેતી અને બિનખેતી બન્નેનો એકજ ભાવ આપવો અને નુકસાનગ્રસ્ત ખેડૂત તથા પરિવાર માટે પુનઃ વસવાટ અને આજીવિકાના વિકલ્પો ઉભા કરવા અને નવી જંત્રી મુજબના અને મકાન, વૃક્ષ, ટયુબવેલ સાથેના એવોર્ડ આપવામાં આવે તેવી માંગ કરી જો યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો અગાઉના સમયમાં ઊગ્ર આંદોલન કરવાની ચિમકી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *