વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે રાજ્યસભામાં મધ્ય પૂર્વમાં તણાવ અંગે એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, “વડાપ્રધાન મોદી ઉભરતા વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને સંબંધિત મંત્રાલયો અસરકારક પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે સંકલન કરી રહ્યા છે.” વિદેશ મંત્રીએ કહ્યું, “અમારી સરકારે 20 ફેબ્રુઆરીએ એક નિવેદન બહાર પાડીને ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને તમામ પક્ષોને સંયમ રાખવા વિનંતી કરી હતી. અમે હજુ પણ માનીએ છીએ કે તણાવ ઓછો કરવા માટે વાતચીત અને રાજદ્વારી નીતિનો ઉપયોગ થવો જોઈએ.”
એસ જયશંકરે કહ્યું, “આ સંઘર્ષ ભારત માટે ચિંતાનો વિષય છે. આપણે એક પડોશી પ્રદેશ છીએ અને પશ્ચિમ એશિયાની સ્થિરતા આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ૧ કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને કામ કરે છે. ઈરાનમાં અભ્યાસ અથવા રોજગાર માટે થોડા હજાર ભારતીયો પણ છે. આ પ્રદેશ આપણી ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. તેમાં તેલ અને ગેસના ઘણા મહત્વપૂર્ણ સપ્લાયર્સનો સમાવેશ થાય છે. પુરવઠા શૃંખલામાં ગંભીર વિક્ષેપ અને અસ્થિરતાનું વાતાવરણ ગંભીર મુદ્દાઓ છે.”
જયશંકરે કહ્યું, “સંઘર્ષ સતત વધી રહ્યો છે અને પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિ બગડી છે. આ સંઘર્ષ અન્ય દેશોમાં ફેલાઈ ગયો છે અને વિનાશ વધી રહ્યો છે. સામાન્ય જનજીવન અને પ્રવૃત્તિઓ સ્પષ્ટપણે પ્રભાવિત થઈ રહી છે.”

