દિનેશ કાર્તિકે 2024 ની IPL સીઝન પછી ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે, થોડા મહિના પછી, તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય પાછો ખેંચી લીધો અને દક્ષિણ આફ્રિકન લીગ SA20 માં ભાગ લીધો. તે 2025 ની SA20 માં પાર્લ રોયલ્સ ટીમનો ભાગ હતો, અને SA20 માં રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. SA20 ની આગામી સીઝન 2026 માં 23 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન રમાશે, જેમાં દિનેશ કાર્તિક જોવા મળશે નહીં.
આ દરમિયાન, દિનેશ કાર્તિકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દિનેશ કાર્તિકને ભારતીય ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે હોંગકોંગ સિક્સીસ 2025માં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરતો જોવા મળશે. ક્રિકેટ હોંગકોંગ, ચીનએ 23 સપ્ટેમ્બરે આ માહિતી આપી હતી. ભારતીય ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત થવા પર, દિનેશ કાર્તિકે કહ્યું કે હોંગકોંગ સિક્સીસ જેવી ઐતિહાસિક અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવું તેમના માટે ખૂબ જ સન્માનની વાત છે. તેઓ એવા ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરવા માટે ઉત્સાહિત છે જેમનો રેકોર્ડ ઉત્તમ છે. અમારું લક્ષ્ય પ્રેક્ષકોનું મનોરંજન કરવાનું અને તેમને નિર્ભય ક્રિકેટ પ્રદાન કરવાનું અને તેમને ખુશ કરવાનું રહેશે.
ક્રિકેટ હોંગકોંગ, ચીનના અધ્યક્ષ બુર્જી શ્રોફે જણાવ્યું હતું કે, “ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે દિનેશ કાર્તિકનું સ્વાગત કરતાં અમને ખૂબ આનંદ થાય છે. તેમનો અનુભવ અને નેતૃત્વ આ ટુર્નામેન્ટમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. અમને વિશ્વાસ છે કે તેમની હાજરી વિશ્વભરના ક્રિકેટ ચાહકોને આ શાનદાર ક્રિકેટ ઉત્સવ જોવા માટે આકર્ષિત કરશે.”

