પાટણના સંખારી ગામની શાળાના જર્જરિત 14 ઓરડા ઉતારી નવા બનાવવા માંગ ઉઠી

પાટણના સંખારી ગામની શાળાના જર્જરિત 14 ઓરડા ઉતારી નવા બનાવવા માંગ ઉઠી

100 વર્ષ જૂના ઓરડાથી વિદ્યાર્થીઓને જોખમ

પાટણ તાલુકાના સંખારી ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત હાલતમાં રહેલા 14 ઓરડાઓ ઉતારી નવા બનાવવા માટે માગ ઉઠવા પામી છે અને આ મામલે પાટણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.રજુઆત મા જણાવ્યું છે કે,સંખારી પ્રાથમિક શાળામાં કુલ 14 ઓરડા અત્યંત બિસ્માર હાલતમાં છે. આમાં 5 પતરાવાળા અને 9 ધાબા વાળા ઓરડાનો સમાવેશ થાય છે.

પતરાવાળા ઓરડા આશરે 100 વર્ષ જૂના હોવાથી તેની દીવાલો સતત ખરતી રહે છે. જ્યારે ધાબાવાળા ઓરડાઓમાં ચોમાસા દરમિયાન પાણી ટપકવાની સમસ્યાસર્જાય છે.શાળાના આ ઓરડાઓ હાલ ભયજનક સ્થિતિમાં હોવાથી ત્યાં અભ્યાસ કરતા બાળકોના માથે જોખમ તોળાઈ રહ્યું છે. ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે આ તમામ ડેમેજ ઓરડાઓ પાડી નાખી તાત્કાલિક નવા ઓરડા બનાવવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *