બનાસકાંઠામાં રસપ્રદ બનેલી થરા માર્કેટયાર્ડની ચૂ઼ંટણીમાં અણદાભાઈ પટેલના 22 વર્ષના શાસનનો અંત આવી ગયો છે. તેમની પેનલ હારી ગઈ છે.અને ભાજપની પરિવર્તન પેનલનો વિજય થયો છે.અણદાભાઈ જીત્યા પણ તેમની પેનલ ન જીતાડી શક્યા. માર્કેટ યાર્ડની સામાન્ય ચૂંટણી માટે 4 વેપારી વિભાગ અને ખેડૂત વિભાગના 10 ડિરેક્ટરો માટે ભાજપની પરિવર્તન પેનલ અને ભાજપના જ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન ની પેનલ એમ કુલ 28 ઉમેદવારો માટે સોમવારે 97% મતદાન યોજાયું હતું અને તેનું મંગળવારે સવારે 9 વાગ્યાથી 10 બુથો માં મતગણતરી હાથ ધરાઈ હતી તેમાં વેપારી વિભાગમાં ભાજપની પરિવર્તન પેનલના 3 ડિરેક્ટરો વિજેતા જાહેર થયા હતા અને ખેડૂત વિભાગના 10 માંથી 8 ડિરેક્ટરો વિજેતા જાહેર થયા હતા થરા માર્કેટ યાર્ડમાં ભાજપની પરિવર્તન પેનલનો ઐતિહાસિક વિજય થયો હતો.
- July 2, 2025
0
334
Less than a minute
You can share this post!
editor

