યુપીના ગાઝિયાબાદથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં મોડી રાત્રે, એક ગુનેગારની ધરપકડ કરવા ગયેલી નોઈડા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો અને ગોળીબાર કરવામાં આવ્યો. આ ગોળીબારમાં, નોઈડા પોલીસના એક કોન્સ્ટેબલનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું.
મામલો મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારના નાહલ ગામનો છે. નોઈડા પોલીસ મોડી રાત્રે કાદિર નામના ગુનેગારને પકડવા માટે અહીં ગઈ હતી. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો અને ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું.
આ કેસમાં ડીસીપી ગ્રામીણ સુરેન્દ્ર નાથ તિવારીનું નિવેદન બહાર આવ્યું છે. તેમણે કહ્યું, ’25 મેના રોજ, મસૂરીના પોલીસ સ્ટેશનને માહિતી મળી કે ગૌતમ બુદ્ધ નગરના એક કોન્સ્ટેબલ સૌરભને મસૂરીના પોલીસ સ્ટેશનના નાહલ ગામમાં ગોળી મારી દેવામાં આવી છે. તેમની ટીમ તેમને યશોદા હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે, ‘પોલીસ ટીમ એક વોન્ટેડ આરોપી, કાદિરને પકડવા આવી હતી.’ કાદિર નહાલનો રહેવાસી હતો. આ ઘટનામાં, ગૌતમ બુદ્ધ નગરના પોલીસ સ્ટેશન ફેઝ-3 ના સબ-ઇન્સ્પેક્ટર સચિન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે, મસૂરી પોલીસ સ્ટેશનમાં યોગ્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અન્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

