પાલનપુર ખાતે ભારત વિકાસ પરિષદ પશ્ચિમ ઝોન ઉત્તર ગુજરાત પ્રાંતનો તા 24 અને 25 મેના રોજ બે દિવસીય અભ્યાસ વર્ગ યોજાયો હતો.જેમાં ગુજરાત,મહારાષ્ટ્ર, ગોવા રાજ્યમાંથી 78 પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશજી જૈન,નેશનલ કન્વીનર-સંસ્કાર મુકેશજી જૈન તેમજ રાષ્ટ્રીય પેટ્રન-સેવા એસ. એસ. મંથાજી ખાસ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને સંપર્ક,સેવા,સંસ્કાર, પર્યાવરણ,મહિલા સહભાગિતા જેવા વિષયો પર સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ. આ કાર્યક્રમને ક્ષેત્રીય અધ્યક્ષ એલ.આર. જાજુજીએ ડિઝાઇન કર્યો અને તેનું સંચાલન ક્ષેત્રીય મહા સચિવ વિનોદજી લાઠીયાએ કર્યું હતું ક્ષેત્રીય જોઈન્ટ સચિવ, પ્રાંતીય અધ્યક્ષ અને પ્રાંતીય સચિવ મળીને સમગ્ર કાર્યશાળાનું આયોજન કર્યું હતું ભારત વિકાસ પરિષદ પાલનપુરની બંને શાખાના કાર્યકર્તાઓ તમામ સુવિધા પુરી પાડી કાર્યક્રમને સફળ બનાવ્યો.
- May 28, 2025
0
380
Less than a minute
You can share this post!
editor

