અયોધ્યા રામ મંદિરમાં દશેરાની વિશેષ ઉજવણી : રામલલાનો રાજ્યાભિષેક કરાશે

અયોધ્યા રામ મંદિરમાં દશેરાની વિશેષ ઉજવણી : રામલલાનો રાજ્યાભિષેક કરાશે

પહેલીવાર સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં ભગવાન રામલલાનો રાજ્યાભિષેક સમારોહ યોજાશે

આયોજન મુજબ રાજ્યાભિષેક પહેલાં ભગવાન રામલલા અને પ્રથમ માળે બિરાજમાન રાજા રામનો વિવિધ ઔષધીય દ્રવ્યોથી અભિષેક અને વિધિપૂર્વક પૂજન કરવામાં આવશે. ત્યારબાદ ભગવાનનો વિશેષ શૃંગાર કરવામાં આવશે અને 56 પ્રકારના ભોગ ધરાવવામાં આવશે. બપોરે 12 વાગ્યે રાજભોગ આરતી ઉતારવામાં આવશે.

વિજયાદશમી પર્વ પર શસ્ત્ર પૂજાની પરંપરા પણ રહેલી છે. આ પરંપરાના ભાગરૂપે પહેલીવાર ભગવાન રામના અસ્ત્ર-શસ્ત્રોની સાથે સાથે પરકોટામાં આવેલા છ અન્ય મંદિરોમાં પ્રતિષ્ઠિત દેવી-દેવતાઓના શસ્ત્રોનું પણ પૂજન કરવામાં આવશે. શારદીય નવરાત્રિ દરમિયાન રામ મંદિર અને દુર્ગા મંદિરમાં અલગ-અલગ કળશ સ્થાપિત કરીને અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. વિજયાદશમીના દિવસે આ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ સાથે કળશ વિસર્જન કરવામાં આવશે. રામ મંદિરના 70 એકરના પરિસરની બહાર અત્યાધુનિક સુરક્ષા ઉપકરણોથી સજ્જ સુરક્ષા વોલના નિર્માણ માટે મહાઅષ્ટમીના પર્વે મંગળવારે ફરીથી ભૂમિ પૂજન કરી શિલાન્યાસ કરવામાં આવ્યો. માહિતી અનુસાર આ સુરક્ષા વોલનું નિર્માણ કાર્ય ભારત સરકારની એન્જિનિયરિંગ ઇન્ડિયા લિમિટેડ (EIL) દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેણે 3600 મીટર લાંબી દીવાલ બનાવવાની જવાબદારી બે અલગ-અલગ એજન્સીઓને સોંપી છે.

એક એજન્સી દ્વારા ઉત્તર-પશ્ચિમ દિશાની દીવાલનું નિર્માણ કરવામાં આવશે, જેનો શિલાન્યાસ 27 સપ્ટેમ્બરે થઈ ચૂક્યો છે. બીજી એજન્સીને દક્ષિણ-પૂર્વની બાઉન્ડ્રી વોલના નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે, જેના માટે મંગળવારે ભૂમિ પૂજન કરવામાં આવ્યું. આ વોલ અંદાજે 42 કરોડના ખર્ચે તૈયાર થશે અને તેમાં સેન્સર જેવા અત્યાધુનિક સુરક્ષા ઉપકરણો લગાવવામાં આવશે. તેની સમગ્ર લંબાઈ પર લગભગ બે ડઝન વોચ ટાવર પણ બનાવવામાં આવશે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *