શ્રાવણ માસના પ્રારંભે શિવાલયો બમ બમ ભોલે ના નાદથી ગુજી ઉઠયા..!

શ્રાવણ માસના પ્રારંભે શિવાલયો બમ બમ ભોલે ના નાદથી ગુજી ઉઠયા..!

ભકતોએ શિવલિંગ પર અભિષેક સાથે પુજા- પાઠ કરી ધન્યતા અનુભવી

પવિત્ર શ્રાવણ માસનો શુક્રવારે ધર્મમય માહોલમાં શુભારંભ થયો છે. પાટણ શહેરના વિવિધ શિવાલયોમાં શિવભક્તો ભગવાન ભોળાનાથની ઉપાસનામાં લીન બન્યા હતા.શહેરના શિવાલયોમાં શ્રદ્ધાળુઓએ ભગવાન શિવજીના શિવલિંગ પર વિશેષ પૂજા-અભિષેક વિધિ કરી હતી. શિવભક્તોએ શિવલિંગ પર દૂધ, જળ તેમજ બીલીપત્ર ચડાવી અભિષેક પૂજાવિધિ કરી પવિત્ર શ્રાવણ માસ નો ભક્તિમય માહોલમાં પ્રારંભ કર્યો હતો.

શ્રાવણ માસની શરૂઆત ભગવાન ભોળાનાથના શુક્રવારના સિદ્ધિ યોગથી થતાં શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે ભક્તોએ શંખનાદ કરી ધ્વજા રોહણ કરી તાગવા આગ હોમો શ્રધ્ધા પૂર્વક કયૉ હતા. પાટણના સિદ્ધનાથ મહાદેવ અને બગેશ્વર મહાદેવમાં શિવભક્તોએ વિશેષ પૂજા-અર્ચના કરી હતી. શહેરના ગાયકવાડ સરકારના સમયથી સ્થાપિત છત્રપતેશ્વર મહાદેવ ખાતે શિવ ઉપાસકોએ ભગવાન શિવને પંચામૃતનો અભિષેક કરી પુષ્પ અને બીલી અર્પણ કરી હતી. આ સિવાય શહેરના કુબેરેશ્વર મહાદેવ, પદમેશ્વર મહાદેવ, ગોપેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરમાં પણ શ્રાવણ માસના પ્રારંભે ભકતોની ભીડ જોવા મળી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *