અમદાવાદ પ્લેન ક્રેશ; એર ઈન્ડિયાના વિમાનનું મળ્યું ‘બ્લેક બોક્સ’

અમદાવાદ પ્લેન ક્રેશ; એર ઈન્ડિયાના વિમાનનું મળ્યું ‘બ્લેક બોક્સ’

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો. મૃતકોમાંથી 229 મુસાફરો હતા, જ્યારે 12 વિમાનના ક્રૂ મેમ્બર હતા. આ ઉપરાંત, જ્યાં વિમાન ક્રેશ થયું હતું તે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં હાજર 56 લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અકસ્માત સ્થળે પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. વિમાનના કાટમાળમાંથી DVR મળી આવ્યા બાદ, અકસ્માતની તપાસ તેજ થઈ ગઈ છે. સરકારે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરી છે. હવે સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે ક્રેશ થયેલા એર ઈન્ડિયા વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *