હવે શ્રદ્ધાળુઓ મંદિર માં અન્નકુટ પણ ધરાવી શકશે; દર્શન ન સમયમાં પણ ફેરફાર; યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર માં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્ત ના સમયમાં ફેરફાર થવા થી અંબાજી આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતા થી દર્શન થઈ થકે તેવી સગવડ માંટે અંબાજી મંદિરમાં તારીખ 27 જુન એટલે કે અષાઢી બીજ થી દર્શન અને આરતી ના સમયમાં ફેરફાર કરવા માં આવશે હવે પછી અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢી બીજ થી બે વખત જ કરવામાં આવશે બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતી ના સમયમાં પણ ફેરફાર થશે સવારે મંદિર 10.45 કલાકે બંધ થતો હતો તેના બદલે હવે 11.30 સુધી લંબાવાયો છે અને માતાજીની સાતે દિવસ ની સવારી નાં દર્શન જે માત્ર 10.45 સુધી થતાં હતા જે હવે 4.30 કલાક સુધી દર્શનનો લાભ મળશે.અને જે અન્નકુટ ધરાવવાનું બંધ કરવામાં આવ્યું હતું. જે શ્રદ્ધાળુઓ માતાજીને અન્નકુટ ધરાવવાનો લાભ પણ લઈ શક્શે જ્યારે અષાઢીબીજ થી દર્શન નો સમય આ પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે.
આરતી સવારે – 7.30 થી 8.00
દર્શન સવારે – 8.00 થી 11,30
બપોરે આરતી બંધ કરવા માં આવી છે
બપોરે દર્શન – 12.30 થી 16.30
સાંજે આરતી -19.00 થી 19.30
દર્શન સાજે – 19.30 થી રાત્રી ના 21.00 સુધી મંદિર ખુલ્લુ રહેશે તેમ કૌશિકભાઈ મોદી (અધિક કલેકટર,મંદિર ટ્રસ્ટ) અંબાજી એ જણાવ્યું હતું.

