ઊંઝા મલાઈ તળાવની બાજુમાંથી યુવાનની લાશ મળી આવતા ચકચાર

ઊંઝા મલાઈ તળાવની બાજુમાંથી યુવાનની લાશ મળી આવતા ચકચાર

ઊંઝા શહેરમાં આવેલ મલાઈ તળાવ બાજુના નાળામાં કોઈ યુવાનની લાશ મળી હોવાનો કોલ મળતા ઊંઝા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મૃતક યુવાનની લાશને બહાર કાઢી હતી આ ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા જોવા ઉમટ્યા હતા. ઊંઝા મલાઈ તળાવની બાજુમાં આવેલ નાળામાં યુવાનની લાશ હોવાની ચર્ચા થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. ઊંઝા ફાયર બ્રિગેડ ટીમને કોલ મળતા હિતેન્દ્ર સોલંકી તેમજ મન ધોબી દર્શન અને જૈન પટેલ તત્કાલિક ધોરણે પહોંચી મૃતકની લાશને બહાર કાઢી હતી. મરણ જનાર યુવાનનું નામ સોલંકી ભરતકુમાર રેવાભાઈ ઉવ 38 રહે વણાગલા હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *