ડીસામાં ‘ભ્રષ્ટાચારના ખાડા’ મુદ્દે આપ અને કોંગ્રેસનું સંયુક્ત વિરોધ પ્રદર્શન

ડીસામાં ‘ભ્રષ્ટાચારના ખાડા’ મુદ્દે આપ અને કોંગ્રેસનું સંયુક્ત વિરોધ પ્રદર્શન

ખાડામાં ભાજપનો ઝંડો ફરકાવી અનોખો વિરોધ; ડીસાના નવા બસ સ્ટેશન બહાર દર વર્ષે પડતા ભ્રષ્ટાચારના ખાડાઓને લઈને આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓએ આજે ​​સંયુક્ત વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન, કોંગ્રેસના અગ્રણી ભેમાભાઈ ચૌધરીની આગેવાની હેઠળ કાર્યકર્તાઓએ ખાડા પૂજન કરી, ખાડાઓમાં ભાજપનો ઝંડો ફરકાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

વર્ષોથી નવા બસ સ્ટેશન બહારના માર્ગ પર  અને નાયબ કલેક્ટર કચેરીની બરાબર સામે મોટા ખાડાઓ પડવાને કારણે રાહદારીઓ, વાહન ચાલકો અને એસ.ટી. બસના ડ્રાઇવરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ખાડાઓને કારણે અનેક વખત એસ.ટી. બસોના ટાયર ફાટવાના બનાવો પણ બન્યા છે, તેમજ એસટી બસોની ચેચીસ પણ આ ખાડાના કારણે તૂટે છે. જેનાથી મુસાફરો અને વાહન ચાલકોની સુરક્ષા જોખમાય છે.

આ પ્રદર્શન દરમિયાન આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે જો આ ખાડાઓ ભરવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ વિરોધ પ્રદર્શને સ્થાનિક તંત્ર અને ભાજપ સરકાર પર તાત્કાલિક પગલાં લેવા માટે દબાણ વધાર્યું છે. આ વિરોધ પ્રદર્શનમાં એડવોકેટ સુભાષભાઈ ઠક્કર તેજાભાઈ દેસાઈ સહિત કાર્યકરોએ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *