પ્રતિદિન અકસ્માતોની વણજાર સર્જાવા પામી રહી છે. ગુરૂવારના રોજ સિદ્ધપુરના કનેસરા ગામના 77 વર્ષીય કેશવલાલ શંકરલાલ પટેલ કરિયાણાનો સામાન લેવા માટે પોતાના એકટીવા ઉપર સિદ્ધપુર ખાતે આવ્યા હતા ત્યારે સિદ્ધપુર હાઈવે પરથી પુર ઝડપે અને ગફલત ભરી રીતે પસાર થઈ રહેલા ટ્રક ચાલકે કેશવલાલના એકટીવા ને પાછળથી ટક્કર મારતા કેશવલાલનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે કરૂણ મોત નિપજયું હતું. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડતા અને બનાવની જાણ સિદ્ધપુર પોલીસને થતા તેઓએ ઘટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે લાશને હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
- May 23, 2025
0
678
Less than a minute
You can share this post!
editor
Related Articles
પાટણની હેડ પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK)…
- February 28, 2026

