મહેસુલી મહેકમે ફરજ બજાવતા કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને કરાઇ રજૂઆત; બનાસકાંઠા મહેસુલી કર્મચારીઓ ના પડતર પ્રશ્નોને લઈને આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં માંગણી નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
બનાસકાંઠા મહેસુલી કર્મચારી ઓની પડતર માંગણીઓ મુજબ, નાયબ મામલતદાર સંવગ્રની પ્રબળતા યાદી છેલ્લા 8 વર્ષથી વધારે સમયથી બનેલ નથી, રાજ્યમાં ફરજ બજાવતા કર્મચારીઓના જિલ્લા ફેર બદલીની જેટલી રજૂઆત વિભાગ ખાતે હાલ પડતર છે તેને તાત્કાલિક નિર્ણય કરવો, કારકૂન થી નાયબ મામલતદાર પ્રમોશનની કાર્યવાહી હાલ ચાલુ માં છે. જેમાં હાલ ઉપલબ્ધ મહત્તમ જગ્યાઓ અને મેરીટમાં આવતા વધુમાં વધુ કર્મચારીઓ ને એક સાથે પ્રમોશન આપવાની કાર્યવાહી કરવી, જે નાયબ મામલતદાર ની માગણી કે મંજૂરી વગર જિલ્લા ફેર બદલી કરેલ છે તે તમામ હુકમો રદ કરવા તથા ભવિષ્યમાં આવા હુકમ ના કરવા સહિતની માંગણીઓ ને લઇ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરાઈ હતી. જેમાં આગામી 10 દિવસમાં માંગણી ઓ ને લઈને કોઈ યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો જિલ્લા મહેસુલી કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી માસ સીએલ અને હડતાલ જેવા કાર્યક્રમો કરવા માટેની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

