પુરી પોલીસે સોમવારે શ્રી જગન્નાથ મંદિરના સેવક બનીને ભક્તો પાસેથી પૈસા પડાવવાના આરોપમાં ૧૨ લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓની ઉંમર ૨૦ થી ૫૧ વર્ષની વચ્ચે છે. આરોપીઓ બારદાંડા (ગ્રાન્ડ રોડ) અને પરિક્રમા માર્ગ પરથી સેવકોના વેશમાં ભક્તો સાથે છેતરપિંડી કરતા પકડાયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે આ ગેંગ ઘણા મહિનાઓથી સક્રિય હતી અને મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશના યાત્રાળુઓને નિશાન બનાવતી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં, પુરી પોલીસે જણાવ્યું હતું કે તેમણે ‘બડાદંડા અને પરિક્રમા માર્ગ પર મંદિરના સેવક તરીકે પોતાને રજૂ કરીને ભક્તો પાસેથી પૈસા પડાવવા’ બદલ 12 લોકોની ધરપકડ કરી છે.
પોલીસે આ નકલી સેવકો પાસેથી ૧૪ મોબાઈલ ફોન અને ૨૦,૦૦૦ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. ભક્તોએ સેવકોના એક વર્ગ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ કર્યા બાદ પોલીસ કાર્યવાહીમાં આવી ગઈ હતી.

