યાત્રાધામ અંબાજીમાં દર્શન કરવા આવેલ મહિલા યાત્રિકનું હાર્ટ એટેક થી મોત નીપજ્યું

યાત્રાધામ અંબાજીમાં દર્શન કરવા આવેલ મહિલા યાત્રિકનું હાર્ટ એટેક થી મોત નીપજ્યું

અંબાજીમાં મા અંબાના દર્શનાર્થે આવેલા ઊંઝાના વૃદ્ધાનું એકાએક હૃદયરોગનો હુમલો આવતા મોત થયું હતું. બુધવારે બપોરે ઘટેલી ઘટનાને પગલે દર્શનાર્થીઓમાં શોકની લાગણી પ્રવર્તી હતી. ઊંઝાના શારદાબેન પટેલ (ઉ.વ. 80) પરિજનો સાથે બુધવારે અંબાજીમાં મા અંબાના દર્શનાર્થે આવ્યા હતા.

બપોરના સુમારે મંદિર પરિસરના પિત્તળ ગેટ નજીકના પગથિયાથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન એકાએક હ્દય રોગનો હુમલો આવતા તેઓ ઢળી પડ્યા હતા. જેમને મંદિર પ્રાથમિક સારવાર કેન્દ્ર અને ત્યાંથી દેવસ્થાન ટ્રસ્ટની ઈ રિક્ષા દ્વારા અંબાજી જનરલ હિસ્પિતલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તે દરમિયાન જ શારદાબેનનું પ્રાણ પંખેરું ઊડી ગયું હતું. હોસ્પિટલમાં હાજર તબીબોએ સી.પી.આરની કોશિશ પણ કરી હતી. પરંતુ તે પણ નિરર્થક નીવડી હતી. શારદાબેન પટેલ પંદર વર્ષ બાદ મા અંબાના દર્શનાર્થે આવ્યા હતા. તેમના એકાએક મોતને લઈ પરિજનોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *