ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે શ્રી સંદીપ સાગલેએ ચાર્જ સંભાળ્યો

ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે શ્રી સંદીપ સાગલેએ ચાર્જ સંભાળ્યો


(જી.એન.એસ) તા. ૫

ગાંધીનગર,

CEO કચેરીની તમામ શાખાઓના અધિકારીશ્રીઓ સાથે પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી

ગાંધીનગર,

ભારતના ચૂંટણીપંચે જાહેર કરેલા આદેશ અનુસંધાને આજરોજ શ્રી સંદીપ સાગલે (IAS)એ મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે ચાર્જ સાંભળ્યો છે. પ્રથમ દિવસથી જ પ્રોએક્ટિવ એપ્રોચ દાખવતા તેમણે CEO કચેરીની તમામ શાખાઓના અધિકારીશ્રીઓ સાથે રાજ્યવ્યાપી તંત્રની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં ચૂંટણી સંચાલન, સંકલન, મતદારયાદી, મીડિયા સેલ, ફરિયાદ, આઈ.ટી. સહિતની વિવિધ શાખાઓના જવાબદાર અધિકારીશ્રીઓ પાસેથી મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ વર્તમાન સ્થિતિનો તાગ મેળવી, જરૂરી સૂચનો આપ્યા હતા. જેમાં તેમણે રાજયથી માંડી જિલ્લા સુધી તમામ સ્તરે તાલીમ સુયોગ્ય રીતે થાય તેના પર ભાર મુક્યો હતો. તાલીમ મોડ્યુલમાં રચનાત્મકતા લાવવા તાકીદ કરી હતી.
આમ, આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓ, મતદાર યાદીના સંક્ષિપ્ત સુધારણા સહિતના વિવિધ આયોજનો માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સમગ્ર સ્ટાફ સજ્જ જોવા મળ્યો છે.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *