ધરણીધર તાલુકાના સણવાલ પે કેન્દ્ર શાળામાં ધોરણ 1 થી 8 વર્ગોમાં કુલ 440 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં 14 શિક્ષકોનું મહેકમ છે.તેમાંથી 9 શિક્ષકોની ઘટ સામે અન્ય શિક્ષકોની બદલી થઈ છે. જેથી કરી વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળી રહ્યું છે. જેથી કરી બદલી કરવામાં આવેલા શિક્ષકોની બદલી બંધ રખાઈ નવા મહેકમ પૂરતા શિક્ષકોની જગ્યા ભરવામાં આવે તે માટે સરપંચ ગોવાભાઈ રબારી ઉપ સરપંચ ગિરધારીભાઈ પટેલ સહિત ગ્રામજનોએ રજુઆત કરી છે.

