ડીસા તાલુકાના તમામ તળાવો નર્મદા નિરથી ભરાશે : પ્રવીણ માળી
ડીસા તાલુકાના પાણી વગરના વિસ્તારોમાં ખેતી થઇ શકે તે માટે નર્મદાના પાણીથી તળાવો ભરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ તળાવોમાં પાણી પહોંચતા ડીસાના ધારાસભ્ય અને વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી દ્વારા આ ગામોની મુલાકાત લીધી હતી અને ઢોળાસરી તળાવમાં નર્મદાના નીર પહોંચતાં તળાવ છલોછલ ભરાયેલું જોવા મળ્યું.
ખેડૂતો માટે સિંચાઈનું સશક્ત સાધન બનતું આ તળાવ ગામની પાણીની જરૂરિયાતોને સંતોષી તેની પ્રગતિને નવી દિશા આપી રહ્યું છે.ત્યારે મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યુ હતું કે જણાવ્યું હતું કે ખેડૂતોની ખુશી એ જ મારી અનમોલ મૂડી છે.નર્મદા મૈયા હવે ગામેગામ પહોચી છે અને તળાવો છલકાઈ રહ્યા છે ત્યારે સરકાર હંમેશા ખેડૂતોની પડખે છે .અને આગામી સમયમાં ડીસા તાલુકાના દરેક તળાવ નર્મદા થી ભરાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.


