કમોસમી વરસાદને લીધે દિવેલાના ઊભા પાકમાં સંકલિત રોગ નિયંત્રણ માટે ખેડૂતોએ આટલું જરૂર કરવું


(જી.એન.એસ) તા. 1

ગાંધીનગર,

* કમોસમી વરસાદના સમયગાળા પૂરતો જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવો.

* ઝાળ (ઓલ્ટરનેરિયા બ્લાઇટ) અને પાનના ટપકાના રોગની શરૂઆત જણાતા વરસાદ બંધ થયેથી મેન્કોઝેબ ૦.૨૫% પ્રમાણે ૨૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૧૫ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

* ગ્રે મોલ્ડ રોગની શરૂઆત જણાતા વરસાદ બંધ થયેથી પ્રોપીકોનાજોલ ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર અથવા કાર્બેન્ડેઝીમ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો. 

* પાકમાં સ્થાનિક રોગ-જીવાતનો વધુ ઉપદ્રવ જણાયેથી ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક/ફૂગનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો.

* જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે અને જે તે રોગ/જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવો.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *