બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના અનાપુરગઢ ગામના મુખ્ય માર્ગોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા લાખોના ખર્ચે બનાવાયેલા ડામર રસ્તાઓ વરસાદમાં ધોવાઈ જતાં ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનાપુરગઢ થી રાજોડા અને જનાલી તરફ જતા રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખાસ કરીને જનાલી રોડ તૂટી ગયો છે. સ્થાનિક ગ્રામજનો અમૃતભાઈ અને રત્નાભાઈ પટેલે જણાવ્યું હતું કે, બેદરકારી અને નબળી ગુણવત્તાને કારણે રસ્તાઓ ઝડપથી બિસ્માર થઈ જાય છે.
- September 14, 2025
0
172
Less than a minute
You can share this post!
editor

