બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક આવેલા ભારે પવન અને વાવાઝોડાને કારણે ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. અને સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું હતું. ત્યારે સુઈગામ ખાતે આવેલ શક્તિ માતાજીનો પ્રવેશદ્વાર પવનના જોરે ધરાશાયી થયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાની કે મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી. ગામલોકો પવન-વરસાદથી દહેશતમાં આવી ગયા હતા. ખેતીવાડી પરિસ્થિતિ પર પણ પવન અને વરસાદનો પ્રભાવ જોવા મળ્યો હતો. અને વરસાદથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
- September 5, 2025
0
181
Less than a minute
You can share this post!
editor

