1.50 હેક્ટરમાં 15000 રોપાઓનું વાવેતર કરાયું; ઊંઝા તાલુકાના વણાગલા રોડ પર વિસ્તરણ રેન્જ ઊંઝા દ્રારા વન કવચ અર્બન ઉદ્ઘાટન ઉજવણી કાર્યકમ યોજાયો હતો આ સ્થળે વન વિભાગ દ્વારા કુલ 1.50 હેક્ટરની જગ્યાએ કુલ 15000 રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે. ઊંઝા-વણાગલા રોડ ખાતે જિલ્લો મહેસાણામાં સામાજીક વનિકરણ વિભાગ મહેસાણાની વિસ્તરણ રેંજ ઊંઝા દ્વારા વન કવચ(અર્બન)ના ઉદ્ઘાટન ઉજવણી કાર્યક્રમ તથા એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં વનવિભાગ દ્વારા 1.50 હેક્ટરની જગ્યાએ કુલ 15000 રોપોનું વાવેતર કરવામાં આવેલ. ઊંઝાના સભ્યઓ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા વનવિભાગના તમામ સ્ટાફ દ્વારા વનકવચ(અર્બન)ની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
- August 30, 2025
0
271
Less than a minute
You can share this post!
editor

