(GNS) 22,
અમદાવાદ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસને લઈને અમદાવાદમાં તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમ ના ગુજરાતમાં આ પ્રવાસ દરમિયાન અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ થવાનો હોવાથી સરકાર અને સંગઠન બંને સ્તરે તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ મેદાન ખાતે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં હજારો લોકોની ઉપસ્થિતિ રહે તેવી અપેક્ષા છે. આ માટે હજારો લોકો બેસી શકે તેવો એક ભવ્ય ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમમાં તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે, જેથી લોકો આરામથી બેસીને PM નું સંબોધન સાંભળી શકે.
જો કે, વડાપ્રધાન મોદીના આગમનને લઈને સમગ્ર રાજ્યના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રવાસ દરમિયાન તેઓ અનેક સરકારી યોજનાઓ અને પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે, જેનાથી ગુજરાતના વિકાસને નવી ગતિ મળશે. સુરક્ષા વ્યવસ્થાને પણ સુનિશ્ચિત કરવા માટે પોલીસ વિભાગ દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે.

