દિલ્હી: હુમાયુના મકબરા પરિસરમાં એક રૂમની છત ધરાશાયી, દુ:ખદ અકસ્માતમાં 6 લોકોના મોત

દિલ્હી: હુમાયુના મકબરા પરિસરમાં એક રૂમની છત ધરાશાયી, દુ:ખદ અકસ્માતમાં 6 લોકોના મોત

દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં સ્થિત હુમાયુના મકબરા પરિસરમાં એક મસ્જિદ પાસેના એક રૂમની છત તૂટી પડતાં અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આમાંથી ૧૧ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી ૬ લોકોના મોત થયા છે. હુમાયુના મકબરા પરિસરમાં મસ્જિદ પાસે એક રૂમ છે. આ રૂમની છત તૂટી પડી હતી, જેમાં ૧૧ લોકો દટાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાટમાળમાંથી બધાને બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ૧૧ લોકોમાંથી ૯ લોકોને એઈમ્સ ટ્રોમા સેન્ટર, એકને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં અને બીજાને એલજેપીએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં લાવવામાં આવેલા આ ઘાયલોમાંથી ૬ લોકોના મોત થયા હતા.

અકસ્માતની માહિતી મળતા જ પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRF ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ 4:30 વાગ્યે ગુંબજનો એક ભાગ પડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, ગુંબજ તૂટી પડ્યો નથી. મસ્જિદ પાસે બનેલા એક રૂમની છત પડી ગઈ છે. દિલ્હીમાં સતત વરસાદ પડી રહ્યો છે. આ જ કારણ છે કે અકસ્માત થવાની શક્યતા છે. અગાઉ એક જૂનું ઝાડ એક બાઇક સવાર પર પડ્યું હતું. આ અકસ્માતમાં બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તે જ સમયે, એક મહિલા ઘાયલ થઈ હતી. આ અકસ્માતમાં એક કારને પણ નુકસાન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *