આકસ્માતના બનાવમાં એસટી બસમાં મુસાફરી કરેલ બે મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ
પાટણ ડેપોની બસ નંબર GJ.18 Z.9287 (મહેસાણા ડિવિઝન) પાટણ-માલેગાવ રૂટ પર શનિવારે સવારે આશરે 8:00 વાગ્યાના સુમારે, સતાણા અને માલેગાવ વચ્ચે આ બસ પલટી ખાઈ ગઈ હતી. બસના ડ્રાઈવર એક કાર ચાલકને બચાવવા જતાં અચાનક બ્રેક મારી હતી. જેના કારણે બસ પલટી ખાઈ ગઈ હતી. બસમાં કંડક્ટર તરીકે બારોટ કલ્પેશભાઈ ફરજ પર હતા.સદનસીબે, આ ઘટનામાં માત્ર બે લોકોને સામાન્ય ઈજા થઈ હતી. કોઈ મોટી જાનહાનિ ન થતાં સૌએ રાહત અનુભવી હતી. દુર્ઘટનામાં બસને આશરે 1,00,000/- (એક લાખ રૂપિયા)નું નુકસાન થયું હોવાનો અંદાજ છે.ઘટના સ્થળે સોનગઢ ડેપોના જી.એસ.શેખ (ટી.આઈ) દ્વારા સ્થિતિનું નિરીક્ષણ કરી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

