ઉનાળુ મગફળીનું વાવેતર કરેલા ખેડૂતોની હાલત કફોડી; ખેતરોમાં મગફળી સહિત બાજરીનો પાક પલળ્યો

ઉનાળુ મગફળીનું વાવેતર કરેલા ખેડૂતોની હાલત કફોડી; ખેતરોમાં મગફળી સહિત બાજરીનો પાક પલળ્યો

જીલ્લાના ખેડૂતોને ઉનાળુ બાજરી અને મગફળીના પાકને વ્યાપક નુકસાન

સતત વરસાદના કારણે ખેડૂતો ને ખેતીના પાકમાં લાખો રૂપિયાનું નુકશાન વેઠવવાનો વારો

ખેતીના પાકોને નુકસાન થયેલ ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવી તેવી માંગ

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આફત બની જવા પામી છે ઉત્તર ગુજરાતમાં ઉનાળાની સિઝનમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વાવેતર થતું હોય છે અને ખેડૂતો દ્વારા જૂન મહિનાનુ પ્રથમ પખવાડિયુ ખેતીના પાકોની સિઝન ગણાતી હોય છે જેથી મોટાભાગના ખેડૂતો એ બાજરી સહિત મગફળીના પાક લેવાની કામગીરી શરૂ કરી હતી તેવા સમયે જ વરસાદનું આગમન થયુ અને ત્યારબાદ સતત વરસાદ વરસતો રહેતા બાજરી સહિત મગફળીના પાકોનુ પાકો વાવેતર કરેલ ખેડૂતોને  મોટું નુકસાન થયું છે ખેતરોમાં બાજરી સહિત મગફળીનો પાક પથરાયેલો પડ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસતા રહેતા ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઇ  રહ્યો છે. અને વરસાદ થી કયારે વરાપ નીકળે તેની ખેડૂતો રાહ જોઈ બેઠી રહ્યા છે કેટલાક ખેડૂતોને ખરીફનું વાવેતર પણ કરવું છે. પરંતુ ખેડૂતો વરસાદ બંધ થાય તેની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાતા દ્વારા સતત વરસાદની આગાહી વચ્ચે ખેડૂત વર્ગની ચિંતામાં પણ વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા  ખેડૂતોને આર્થિક રીતે સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

પાંચ વીઘામાં મગફળીનો પાક ખેતરોમાં પડ્યા બાદ છેલ્લા છ દિવસથી વરસાદ બંધ થાય તેની રાહ જોઈ બેઠા છીએ; ખેડૂત

આ અંગે ડીસા તાલુકાના વડાવળ ગામના ખેડૂતો ના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી મગફળીનો પાક ઉખાડીને ખેતરમાં પડ્યો છે પરંતુ વરસાદ બંધ ન થતાં મગફળીનો પાકનો થોથ વળી ગયો છે અને દરેક ખેડૂતદીઠ લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ ઉપરાંત અનેક ખેડૂતોને મગફળી ના પાક ને ઉખાડવાનો સમય થઈ ગયો હોવા છતાં વરસાદના કારણે ઉભો છે તેવી મગફળીઓને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.

ડીસા ભીલડી લાખણી દિયોદર ધાનેરા સહિતના વિસ્તારોમાં બાજરીના પાકને પણ મોટું નુકસાન

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ સિઝનમાં સૌથી વધુ બાજરીનું વાવેતર થતું હોય છે ત્યારે બાજરી લેવાના સમયે વરસાદનું આગમન થતા ડીસા ભીલડી લાખણી થરાદ ધાનેરા સહિત અનેક વિસ્તારોમાં બાજરીના પાકોને પણ મોટું નુકસાન થવા પામ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં આજથી વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ; ગુજરાત રાજ્ય પર સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમના કારણે છેલ્લા 10 દિવસથી વરસી રહેલા વરસાદે અનેક વિસ્તારોમાં તારાજી સર્જી છે  ત્યારે આ સિસ્ટમ અરબ સાગર થી પાકિસ્તાન તરફ સરકી જતા ગુજરાત રાજ્ય વરસાદનું જોર ઘટી રહ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ આજથી વરસાદનું પ્રમાણ ઓછું થશે અને જ્યાં સુધી બંગાળની ખાડી માં સર્જાયેલી સિસ્ટમને અસર નહીં થાય ત્યાં સુધી કોઈ મોટા વરસાદ ની શક્યતાઓ ઓછી છે પરંતુ ત્યારબાદ ફરી એકવાર વરસાદ વધી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *