બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા સુકીભઠ્ઠ રહેતી ઉમરદશી નદીમાં 2017 બાદ અચાનક નવા નીર આવ્યા હતા. ધાણધા નજીક પસાર થતી ઉમરદશી નદીમાં નવા નીર આવતા ખેડૂતોને લાભ થશે. પાલનપુરની ઉમરદશી નદી આસપાસના ખેડૂતો માટે જીવા દોરી સમાન છે. ઉમરદશી નદીના કાંઠે અંદાજિત 100 થી વધુ ગામડાઓ આવેલા છે.
ઉપરવાસ માં પડેલા ભારે વરસાદના લીધે ઉમરદશી નદીમાં નવા નીર આવવાથી આસપાસના ગામડા ઓમાં રહેતા ખેડુતોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે. ત્યારે પાલનપુરના ધારાસભ્ય, પાલિકાના પૂર્વ, યુવા મોરચાના, સહકારી અગ્રણી, પૂર્વ સરપંચ, સહિતના અગ્રણી ઓએ ઉમરદશીમાં આવેલા નીરના વધામણાં કર્યા હતા. જોકે, વર્ષો બાદ ઉમરદશી ખળખળ વહેતી થતા લોકોનો નદી જોવા ભારે ધસારો જોવા મળ્યો હતો.

