ઉપરવાસમાં વરસાદ થતાં રવિવાર તા.22-6-2025, થી લોક માતા સરસ્વતી નદીમાં જળ દેવતાનું આગમન થયું છે. મોરીયા નજીક ના સરસ્વતી – અર્જુની સંગમ સ્થળ થી સરસ્વતી નદીના નિર મુક્તેશ્વર ડેમ તરફ પ્રયાણ કર્યું છે. ઉપરાંત સિસરાણા નજીક પસાર થતી જોયણ નદી માં ખુબજ લાંબા સમયે નવાં નિર આવ્યાં છે. ચોમાસાના શુભારંભ માં રાજસ્થાન, સાબરકાંઠા તરફ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દાંતા થઈને પસાર થતી સરસ્વતી નદીમાં જળ દેવતાનું આગમન થતાં તાલુકાના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી છે.
- June 22, 2025
0
405
Less than a minute
You can share this post!
editor

