અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં 241 જેટલા મુસાફરોના મોત નિપજ્યા હતા. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી ને માં અંબાના પરમ ભક્ત હતા અને અવારનવાર અંબાજી દર્શનાર્થે પરિવાર સાથે આવતા હતા. જયારે આ ઘટનામાં દાંતા સાથે બનાસકાંઠાના પણ કેટલાક મુસાફરોનો આ ઘટનામાં મોત નિપજ્યા છે. ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં યજ્ઞ ને કર્મકાંડ કરતા બ્રાહ્મણોએ પણ ભારે દુઃખની લાગણી સાથે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને દિવંગત આત્માને શાંતિ મળે અને પ્રભુના ચરણોમાં વાસ મળે તે માટે હોમહવન ઇત્યાદિ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યાં પ્લેન ક્રેશ થઈને પડ્યું તેવામાં જે લોકો ઈજાગ્રસ્ત બન્યા છે તે લોકો જલ્દીથી સાજા થાય તે માટે માં અંબાને પ્રાર્થના કરી માતાજી ના ચાચરચોકમાં દિવંગત આત્માંઓ માટે મંત્રોચાર કર્યા હતા.
- June 15, 2025
0
433
Less than a minute
You can share this post!
editor

